પુર્વા ભાદ્રપદ નક્ષત્ર
ક્રમ નંબર ૨૫
નક્ષત્ર સ્વામી ગુરુ
દેવ. અજચરણ
કુંભ રાશિમાં માં ૩ ચરણ નો ૨૦: ૦૦ થી ૩૦:૦૦ અંશ સુધી અને મીન રાશિમાં ૪ ચરણનો ૦૦:૦૦ અંશ થી ૩:૨૦ અંશમાં સમાવેશ થાય છે.
ડિસેમ્બર મહિના મધ્યમાં ,મધ્ય આકાશમાં અર્થી ના પાયાજેવા આકારનાજેવા ૨ તારા ની આકૃતિ દેખાય છે.
અંગ્રેજી. નામ Alpha Pegarsi
આ તો આધોમૂખી નક્ષત્ર છે જેથી ખોદવાના કાર્ય, ખેતી, કુવા તળાવ જમીનમાંથી ખનીજ પદાર્થો ખોદીને, petrol oil ખનીજ વગેરે કાઢવા.
ક્રૂર નક્ષત્ર હોવાથી આ નક્ષત્ર નો ઉપયોગ
મારણ ,ઉચ્ચાટન ,, મર્ડર કરવું ,પાપ કર્મ કૃરકાર્ય બે માણસોની વચ્ચે વિખવાદ કરવો , શિક્ષા કરવી સજા કરવી જેલમાં પૂરવા જેવા તમામ ભયંકર કર્યો આ નક્ષત્રમાં કરવા માટે શુભ છે.
દર વર્ષે સુર્ય ૪ માર્ચથી ૧૬ માર્ચ સુધી આ નક્ષત્રના માંથી પસાર થાય છે.
યોની. સિંહ
ઞણ. મનુષ્ય
યુવા. અંતય
નાડી. આધય
ગોત્ર. કૃતુ
મંગળવારે પૂર્વભાદ્રપદ નક્ષત્ર હોય ત્યાર કાણ યોગ બને છે
જે અશુભ છે
આ નક્ષત્રનું પહેલું ચરણ ૦૦:૦૦ થી ૩:૨૦ અંશ મેષ નવમાંશ માં સમાવેશ થાય છે જેથી આ ચરણને રાશિ સ્વામી શનિ નક્ષત્ર સ્વામી ગુરુ નવમાંશ સ્વામી મંગળની ઊર્જા પ્રાપ્ત થાય છે આજતક મહેનતથી ઉર્જાવાન આધ્યાત્મિક તેમજ સ્વભાવે ઉગ્ર હોય છે.
આ નક્ષત્રનું બીજાં ચરણ વૃષભ રાશિમા ૩:૨૦ અંશ થી ૬:૪૦ અંશ માં સમાવેશ થાય છે આચરણના જાતકો ને ઞુરું, શનિ અને શુક્ર ની ઉર્જા પણ પ્રાપ્ત થાય છે શુક્ર ક્રિએટિવિટી સાથે ભૌતિક સુખ સુવિધા સાથે જોડાયેલો ગ્રહ છે જેથી તેની મહેનત ઉપરોક્ત સુખ મેળવવા માટે ધન અરજીત કરવા તરફ વધારે હોય છે
આ નક્ષત્રના ૩ ચરણનો સમાવેશ ધન રાશિ માં ૬:૪૦ થી ૧૦:૦૦ અંશમાં થાય છે આ ચરણ મિથુન નવમાંશ માં આવે છે જેથી આ અહીં જાતકની બૌદ્ધિક માનસિક સ્તર ઉચ્ચ કક્ષાનું હોય છે આ જાતકોમાં જ્ઞાન પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા વધારે હોય છે. આજતક સારા વક્તા, મોટીવેશનલ ગુરુ તેમજ લેખક હોય છે
આ નક્ષત્રનું ચોથું ચરણ નો સમાવેશ ૧૦:૦૦ થી ૧૩:૪૦ ધન રાશિમાં થાય છે તેનો સમાવેશ કર્કનો નવમાસમાં થાય છે અહીંયા અને ચંદ્ર ની ઉર્જા ની સાથે ગુરૂ ઉર્જા બેવડાય છે મીન રાશી ગુરુની હોવાથી અધ્યાત્મ અને ધર્મ તો હોય જ અને ચંદ્ર પણ જ્યારે અહીંયા હોય તે ચંદ્ર બળવાન હોય ત્યારે જાતક પરોપકારી માનવતાવાદી મદદ કરતા ,ચેરિટી બાજુ ડિવોટેડ હોય છે. પરંતુ ચંદ્ર નબળો હોય ત્યારે જાતક તંત્ર વિદ્યા કે મેલીવિદ્યા પ્રાપ્ત કરીને તે વિદ્યાનો ઉપયોગ ખરાબ કરવામાં વાપરતો હોય છે.જો આ નક્ષત્ર સારા સ્થાનમાં આવતું હોય શુભ ગ્રહની દ્રષ્ટિ ત્યારે જાતક આધ્યાત્મિકતા બાજુ વળીને ઉચ્ચ કક્ષાના સંત બનતા હોય છે અને જ્યારે આ નક્ષત્ર પાપ ગ્રસિત થાય ત્ય અપરાધ ઉપરાંત બાજુ વાળતો હોય છે.
તદુપરાંત શનિના કુંભ રાશિમાં 3 ચરણ આવતા હોય છે તે મહેનતુ હોય છે અને ચોથું ચરણ જે મીન રાશિમાં હોય તો તે થોડા આળસુ પ્રકૃતિના હોય છે અને દંભી હોય છે
આ નક્ષત્રના જાતકો સારા જાદુગર હોય છે